Webdunia - Bharat's app for daily news and videos

Install App

486 કોલેજના 1.10 લાખ વિદ્યાર્થી 25મી જૂનથી પરીક્ષા આપશે

Webdunia
ગુરુવાર, 28 મે 2020 (13:45 IST)
રાજ્ય સરકારના આદેશ પછી જીટીયુએ 25મી જૂનથી શરૂ થતી બીઈ સેમેસ્ટર-8 સહિતની વિવિધ 39 કોર્સની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા કે પોઝિટિવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં.આ વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવામાં આવશે, જેની તારીખ પછીથી વેબસાઈટ પર મૂકવામાં આવશે. જીટીયુની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આવેલી 486 કોલેજોના 400 કેન્દ્રો આશરે 1.10 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ મુજબ તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવાની સૂચના જીટીયુ  તરફથી પરીક્ષા કેન્દ્રોને અપાઈ છે. જેમાં કોઈ  પણ વિદ્યાર્થી કે કર્મચારીને માસ્ક પહેર્યા વિના પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ નહીં અપાય. દરેક પરીક્ષા રૂમ બહાર સેનિટાઈઝર મૂકવાનું રહેશે. જીટીયુ સાથે સંકળાયેલી વિવિધ ઈન્સ્ટિટ્યૂટ તથા હોસ્ટેલને સેનિટાઈઝ કરવાની રહેશે. સરકારના આદેશ મુજબ માસ્ક, સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. વિદ્યાર્થીઓને સેન્ટર પસંદ કરવા માટેની તક અપાશે. વિદ્યાર્થી પોતાની સંસ્થામાં અથવા તો પોતાનું નિવાસસ્થાન હોય તેવા જિલ્લાના સ્થળે એકઝામ સેન્ટરની પસંદગી કરી શકશે. પંસદગીના પોતાના જિલ્લાના એક્ઝામ સેન્ટરની એકવાર પસંદગી કર્યા પછીથી યુનિવર્સિટી તરફથી એક્ઝામ સેન્ટરની ફાળવણી થશે, તે પછીથી  એક્ઝામ સેન્ટરમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments