Webdunia - Bharat's app for daily news and videos

Install App

૧૮૨ ધારાસભ્યો સોગંદ લેવા માટે રાહ જુએ છે પણ મુહૂર્ત નીકળતું નથી

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:29 IST)
વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. જેનું પરિણામ પણ આવી ગયું છે. આમ છતાં હજુ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ૧૮૨ ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થઈ શકી નથી. જુદા જુદા કારણોને લઈને આ શપથવિધિ લંબાતી જાય છે. તો બીજી બાજુ નવા ધારાસભ્યો સોગંદ લેવા માટે રાહ જોઈ રહ્યા છે પણ જાણે હજુ તેનું મૂર્હુત નીકળ્યું નથી. ૧૮મી ડીસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ૨૬મીએ મંત્રીઓની શપથવિધિ પણ યોજાઈ ગઈ હતી. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યોની સોગંદવિધિ હજુ સુધી થઈ શકી નથી.

ધારાસભ્યો જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં જ શપથ લઈ લે તેવી વાત હતી. પરંતુ આ અંગે વિધાનસભા કાર્યાલયને કોઈ જાણ કરવામાં આવી નથી. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૧૪મી જાન્યુઆરીની આસપાસ આવે તેવી શક્યતાઓ છે. તેમનાં આ સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં લેવાઈ રહ્યો છે. મહાત્મા મંદિર ખાતે પાંચથી સાત જાન્યુઆરીએ પાટીદાર સમિટ યોજાવાની છે. વિધાનસભા સંકુલનું રીનોવેશનનું કામ પણ હજુ ચાલી રહ્યું છે. આથી એવું માનવામાં આવે છે કે ૧૪મી જાન્યુઆરી કમૂરતા બાદ નવા ધારાસભ્યોની શપથવિધિ કરાશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments