Webdunia - Bharat's app for daily news and videos

Install App

સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની

Webdunia
શુક્રવાર, 10 માર્ચ 2023 (11:17 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને ભરૂચમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. ભરૂચના રૂહુલઅમીન પટેલ જનરલ હોસ્પિટલ ખાતે ૬ વર્ષ કરતા પણ વધુ સમયથી જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને દવાનું વેચાણ કરી રહ્યા છે. 
 
આ ઉપલબ્ધિની બીજી બાજુ એ છે કે, જેનેરીક દવા ખરીદીને લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચાઇ જતી તગડી રકમની પણ બચત કરી શક્યા છે. બજારમાં મળતી મોંઘીદાટ દવાની સામે જન ઔષધિ કેન્દ્રમાં ૫૦ થી ૯૦ ટકા સુધી સસ્તી દવા અને સર્જીકલ ઉપકરણોનું વેંચાણ થાય છે. જેમાં ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર , દુ:ખાવો સહિત ૧૭૫૯ પ્રકારની દવા અને ૨૮૦ પ્રકારના સર્જિકલ ઉપકરણ ઉપલબ્ધ હોય છે તેવું ભરૂચ ખાતે યોજાયેલા જન ઔષધિ દિવસના ભરૂચના રૂહુલઅમીન પટેલ ઉજવણી કાર્યક્રમમાં જણાવ્યું હતું. 
 
વધુમાં તેણીએ ઉમેર્યું હતું કે, ભરૂચ જીલ્લામાં લોકોમાં જેનેરીક દવાઓ પ્રત્યે જાગૃતિ અને વિશ્વાસ પેદા થાય તે માટે તેઓ સેમિનાર, નિશુલ્ક આરોગ્ય કેમ્પ, ફ્રી હેલ્થ ચેકઅપ, સ્ત્રીઓમાં માસિકમાં હાઇજીન જાળવવાને લઇને માહિતી તથા ફ્રી સેનીટરી પેડનું વિતરણ વગેરે કાર્યક્રમો પણ કરવા જોઈએ. તેમજ પ્રધાનમંત્રી જનઔષધિ યોજના અંર્તગત મોડ્યુલનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. 
 
આ કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી સસ્તી દવા અને મેડીકલ ઉપકરણો મળી રહે તેવા જન ઔષધી કેન્દ્રો સરકાર ચલાવી રહી છે તેની જાણકારી પહોંચાડી રહ્યા છીએ. દર માસે જે દવા લોકોને ખરીદવી પડતી હોય છે તે સસ્તા ભાવે મળતી હોવાથી લોકોની બચત થઇ રહી છે. દા.ત તરીકે મહિલાઓ પીરીયડમાં બજારમાંથી જે મોંઘા પેડ ખરીદે છે તે જ જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૪માં ચાર પેડ મળે છે. તેમજ જે લોકોને દર માસે રૂ.૧૦ હજાર દવાનું બિલ ચુકવવું પડતું હતું તે દવા રૂ. ૨૦૦૦ની મળતી થતાં લોકોને ભારે બચત થઇ રહી છે. 
 
કેન્દ્ર અને રાજય સરકારની આ પહેલના કારણે નાગરીકોને મોંઘીદાટ દવા ખરીદવામાંથી રાહત મળી છે. નાણાકીય બચત થતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમજ સ્ટોર શરૂ કરવા તથા કાર્યરત રાખવા સ્ટોરના કાર્યકાળ દરમિયાન રૂ.૫ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ ખાસ મહિલાઓ , દિવ્યાંગો, અનુસુચિત જાતિ / જનજાતિ વગેરેને ખાસ પ્રોત્સાહક રકમ રૂ. ૨ લાખની સહાય અપાય છે.

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments