Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માછીમારોએ ફિશરીઝ કમિશ્નરને બાંધીને માર માર્યો, 17 વિરૂધ્ધ ફરિયાદ, 3ની ધરપકડ

fisherman
, શુક્રવાર, 10 માર્ચ 2023 (10:21 IST)
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં IAS અધિકારીને બંધક બનાવી માર મારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે 17 માછીમારો સામે ગુનો નોંધી 3 માછીમારોની ધરપકડ કરી છે. અધિકારી પર હુમલાનો આ મામલો 4 માર્ચની સાંજનો છે. અન્ય 13 આરોપીઓની શોધખોળ ચાલુ છે.
 
સાબરકાંઠાના ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન (IAS) ફિશિંગ ઓફિસર ડીએન પટેલ સાથે સોમવારે સાબરકાંઠાના ધરોઈ ડેમમાં ઓચિંતી નિરીક્ષણ માટે આવ્યા હતા. આ દરમિયાન તેની 17 માછીમારોના જૂથ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ અધિકારી સાથે મારપીટ કરી અને તમામ કર્મચારીઓને બંધક બનાવી લીધા. આટલું જ નહીં, તે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નહીં કરે તેવી ખાતરી આપીને તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
 
બુ પરમારે તેના 15 સાગરિતો સાથે મળીને તેમની પર હુમલો કર્યો હતો. લાકડીઓથી સજ્જ તમામ આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા. લડાઈ બાદ આરોપીઓને લેખિતમાં આપવા પણ કહેવામાં આવ્યું હતું કે અમારી વચ્ચે સમજૂતી થઈ છે. આરોપીઓએ એવી પણ ધમકી આપી હતી કે જો કોઈ અધિકારી ફરીથી ડેમનું નિરીક્ષણ કરવા આવશે તો તેને મારીને ડેમમાં ફેંકી દેવામાં આવશે.
 
સાબરકાંઠા જિલ્લાના ડીએસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ કમિશનર નીતિન સાંગવાનને નાની મોટી ઈજાઓ થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. પકડાયેલા લોકોની ઓળખ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી દિલીપ પરમાર, નિલેશ ગમાર અને વિષ્ણુ ગમાર તરીકે થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેડ પર 800 વર્ષ જૂની 'શવ' સાથે સૂતો હતો માણસ, જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું તે આધ્યાત્મિક ગર્લફ્રેન્ડ છે