rashifal-2026

બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાં સુધારેલા કાયદા પ્રમાણે વળતર ચૂકવાશે

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:20 IST)
અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયાને પડકારતી રિટ સંદર્ભે રાજ્ય સરકારે આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કર્યો હતો કે જમીન સંપાદન સંબંધિત વિવિધ કાયદાઓની જોગવાઈમાં આવેલા નવા સુધારાઓ અને સંશોધન પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. અરજદારે રિટમાં આક્ષેપ કર્યો હતો કે જમીન સંપાદન કાયદાના જૂના નિયમો પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. આ કેસની વધુ સુનાવણી ૨૪ ઓગસ્ટ પર મુલતવી રાખવામાં આવી છે. અરજદારે રિટમાં એવી રજૂઆત કરી હતી કે બુલેટ ટ્રેનના કારણે જે લોકોની જમીન સંપાદિત થઈ રહી છે તેમને થનારી અસરો અને અન્ય સામાજિક અસરોનું મૂલ્યાંકન થયા બાદ પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ. જેની સામે સરકારે રજૂઆત કરી છે કે પ્રોજેક્ટની સમાજિક અસરોનું મૂલ્યાંકન કરીને જમીન સંપાદનની વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ખેડૂતોના પુનઃસ્થાપન માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂપિયા ૩૮૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હોવાની રજૂઆત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments