Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાદરામાં દંપત્તીની ક્રુર હત્યાઃ અજાણ્યા શખ્સોએ શ્રમજીવી પરિવાર પર ધારિયાથી હૂમલો કર્યો

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (14:15 IST)
news of gujarat
 પાદરા તાલુકાના ગણપતપુરા ગામ નજીકની નર્મદા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા દંપતિ પર હૂમલો થયો હતો અને તેમની ધારિયાના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી.એટલું જ નહીં હત્યારાઓએ લાશને ગાદલામાં લપેટી કેનાલમાં નાંખીને ભાગી ગયા હતાં. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે લાશો બહાર કાઢીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. ભંગાર વેચીને ગુજરાન ચલાવતા દંપતિની હત્યા કેમ કરવામાં આવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગણપતપુરા કેનાલ પાસે છાપરૂ બાંધીને રહેતા રમણ સોલંકી ભંગાર વીણીને ગુજરાન ચલાવતા હતાં. આજે સવારે પોલીસને ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલું ધારિયું મળી આવ્યું છે. ઘટના સ્થળ પાસથી ભેજાના માસના લોચા પડેલા જણાઇ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોહીથી લથપથ ગોદડીઓ તેમજ હથીયાર કબ્જે કર્યું છે.શ્રમજીવી દંપતીની હત્યા કર્યા બાદ કેનાલમાં ફેંકી દેવાયેલી લાશો સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કઢાવવામાં આવી છે. દંપતીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અન્ય પૂરાવા એકત્ર કરવા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments