Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

Webdunia
ગુરુવાર, 28 નવેમ્બર 2024 (09:52 IST)
Rajkot Cheteshwar Pujara relative- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે રાજકોટના માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
 
લગ્નની લાલચ આપીને શારીરિક સબંધ બાંધવાનો આરોપ જીત પાબારી પર પૂર્વ મંગેતર દ્વારા લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે સગાઈ થયા પછી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ મથકમાં જીત પાબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
 
રાજકોટ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જીત પાબારીએ બે વર્ષ પહેલા લગ્નની લાલચ આપીને ફરિયાદી સાથે બળાત્કાર કર્યો હતો. હવસ સંતોષાઈ ગયા બાદ સગાઈ તોડી નાંખવામાં આવી હતી.
 
આરોપીએ સગાઈ તોડ્યા પછી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.
 
સગાઈ પછી બળાત્કારની ઘટનાઓ પછી ફરિયાદીને ધમકાવવામાં આવી હતી એવું તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે. તેણે એમ પણ ફરિયાદમાં કહ્યું છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી.
 
ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું કે, "લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. હજી સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ. તપાસ અને પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ