Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

rajkot news
, શનિવાર, 21 સપ્ટેમ્બર 2024 (18:37 IST)
rajkot news
સોની પરિવારના આઠ સભ્યોએ કથિત રૂપે ગંભીર નાણાકીય તનાવને કારણે સામુહિક્ આત્મહત્યા કરી લીધી. જેમા મોટી બેંક લોન લોન અને અવૈતનિક વ્યવસાયિક ભાગીદાર સામેલ હતા. કુલ નવ લોકોએ ઝેર ખાધુ પણ પરિવારનો એક સભ્ય બચી ગયો અને બાકી લોકો સમયસર હોસ્પિટલ જવામાં સફળ રહ્યા. રિપોર્ટ્સ મુજબ પરિવારે જ્વેલરી બિઝનેસમાં પગ મુક્યો હતો અને મુંબઈની એક કંપની દ્વારા માલની ચુકવણી ન કરતા કારણે તેમને ખોટ ગઈ હતી. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
 
દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ
 
લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
સગીર (ઉં.વ.15)
એકને ઝેરની ઓછી અસર થઈ છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.