Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાઠીમાં મુખ્યમંત્રીની સભામાં કાળા વાવટા ફરકાવી જળસંચયનો વિરોધ કરાયો

Webdunia
શનિવાર, 12 મે 2018 (15:10 IST)
લાઠીના જરખીયા ગામે જળસંચય અભિયાનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. જળસંચયના પ્રારંભ પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમનું ભાષણ ચાલુ હતું ત્યારે બે વ્યક્તિએકાળા વાવટા ફરકાવી જળસંચયનો વિરોધ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે વાવટા ફરકાવનાર બન્ને વ્યક્તિને પકડીને સભાની બહાર લઇ જઇ પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. બેમાંથી એકનું નામ કેતન કસવાળ હોવાનું જાણવા મળ્યું હતું. સીએમ સભા સંબોધી રહ્યા હતા અને અચાનક સભાની વચ્ચે બેસેલા બન્ને યુવાનો કાળા વાવટા સાથે ઉભા થયા હતા.

બન્નેએ કાળા વાવટા ફરકાવી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. ત્યારે સુરક્ષા માટે ઉભેલી પોલીસ તુરંત દોડી આવી હતી અને બન્નેના મો બંધ કરાવી સભાસ્થળની બહાર લઇ જઇ પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આજે સવારે મુખ્યમંત્રી પોરબંદરના બગવદર ગામે જળસંચયનો પ્રારંભ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સીએમના સ્વાગત માટે આવી પહોંચેલા વાંસળી સાથે કારાભાઇ ગોગનભાઇ નામના માલધારી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments