rashifal-2026

જાણો ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખના ગઢમાં કોંગ્રેસે ભાજપ પાસેથી કઈ નગરપાલિકા આંચકી લીધી

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:38 IST)
ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સોમવારે ભાજપે પાલિકાની સત્તા ગુમાવી દીધી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષને કારણે પાર્ટીએ અહીં સત્તા ગુમાવવી પડી છે. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામીણ અને મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોવા છતાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. મહુવા પાલિકાની 36 સીટોમાંથી ભાજપે 23 સીટો પર જીત મેળવી હતી. પરંતુ ભાજપના સાત નેતાઓએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો, જેના કારણે કોંગ્રેસની બેઠકોની સંખ્યા 20 થઈ ગઈ હતી. મહુવા ભાવનગર જિલ્લામાં આવે છે અને ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી અહીંથી જ આવે છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલિતાણાના છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં થયેલો વધારો અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સારા પ્રદર્શનને કારણે પાર્ટીમાં લોકસભાની ચૂંટણી માટેનો વિશ્વાસ વધી ગયો છે. મહુવાના મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થવાને કારણે પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના કાઉન્સિલર બીપિન સંઘવી અને અન્ય છ સભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યુ હતું. કોંગ્રેસે મંગુબેન બારૈયાને પ્રમુખ અને શૈલેષ સેંતાને ઉપ-પ્રમુખ જાહેર કર્યા હતા. છેલ્લા બે દશકથી સૌરાષ્ટ્રમાં ભાજપની સત્તા છે. છેલ્લા ઘણાં વર્ષોથી તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જ સત્તા હતી. કોંગ્રેસના ભાવનગર જિલ્લાના અધ્યક્ષ પ્રવિણ વાળાએ જણાવ્યું હતું કે, ભાજપના સાત સભ્યોએ અમને સાથ આપ્યો હતો અને 20 બેઠક સાથે બહુમત મેળવ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments