Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના સાંસદો અને નેતાઓ શા માટે વીમા કંપનીઓનો વિરોધ કરે છે એનું કારણ આ છે

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2019 (16:45 IST)
કૉંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના મતે છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ધારાસભ્યો અને સાંસદો એટલા માટે પાકવીમાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે સરકારને તેમણે પાકવીમાના કરારમાં કરેલી ભૂલનો અંદાજ આવી ગયો છે. વસોયાએ આક્ષેપ કર્યો છે કે સરકારે વીમાના કરારમાંથી એક જોગવાઈ કાઢી નાખી છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવી શકે છે. આ કરારમાંથી જો એ જોગવાઈ ના કાઢી હોય તો સરકાર મીડિયા અને તેમની સામે આ કરાર જાહેર કરે તેવી વસોયાએ માંગણી કરી છે. વસાયોના મતે આ ભૂલના કારણે સરકારને અપજશ ભોગવવાનો વારો આવી શકે તેમ છે અને આવું ન બને એટલે જુદા જુદા રાહત પેકેજો જાહેર કરી અને સંસદમાં તેમજ ધારાસભ્યો દ્વારા વીમા કંપનીઓનો વિરોધ કરાવી સરકાર બચવાનો પ્રયાસ કરી રહી છે. વસોયાએ જણાવ્યું કે “સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના કરારમાં વીમા કંપનીઓ સાથે કરેલા કરારમાંથી એક જોગવાઈકાઢી નાખી છે. આ જોગવાઈ મુજબ ખેડૂતોનો પાક ખેતરમાં તૈયાર થઈ ગયો હોય અને વરસાદ આવે તો વળતર આપવું. પરંતુ સરકારે આ જોગવાઈ કાઢી નાંખી છે તેવું મારા ધ્યાને આવ્યું છે. આથી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે અને પારવાર નુકશાની ભોગવવી પડશે. આ અપજશથી બચવા માટે સરકારે રાહત પેકેજો આપી રહી છે અને તેમના સાંસદો અને ધારાસભ્યો પણ વીમા કંપનીનો વિરોધ કરી રહ્યા છે.” લલિત વસોયાએ માંગણી કરી છે કે જો સરકારે કરારમાંથી આ જોગવાઈ ન કાઢી નાંખી હોય તો મારી સમક્ષ અને રાજ્યની મીડિયા સમક્ષ કરાર જાહેર કરે. ખેડૂતોને પાક વીમાનું વળતર નહીં મળતા મોટી નુકશાની ભોગવવાનો વારો આવશે તેવી દહેશત પણ વસોયાએ વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments