Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરના મહૂઆમાં માઈનિંગનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (15:40 IST)
ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ચાલી રહેલા માઈનિંગની કામગીરી સામે લોકોનો અસંતોષ આજે સપાટી પર આવ્યો હતો. આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ કલસરિયાની સાથે લગભગ એક હજાર લોકોએ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની માઈનિંગની પ્રવૃત્તિ સામે વિરોધ કરીને માઈનિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે બંદોબસ્તમાં તૈનાત પોલીસ સાથે લોકોને ઘર્ષણ થયુ હતુ. બાભોર ગામ ખાતે હજારો માણસો માઈનિંગ રોકવા માટે પહોંચ્યા હતા.જ્યારે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીએ માઈનિંગ માટે પોલીસ રક્ષણ લીધુ હતુ.

ડો.કલસરિયાએ કહ્યુ હતુ કે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હોવા છતા પોલીસે લોકો પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.કેટલાક સ્થાપિત હિતો આંદોલનને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.પણ અમારુ આંદોલન ચાલુ રહેશે. લોકોનુ કહેવુ છે કે તળાજા તાલુકાના વિવિધ ગામોમાં કંપની માઈનિંગ કરવા માંગે છે પણ અમે વિરોધ કરી રહ્યા છે.માઈનિંગના કારણે સ્થાનિક જમીનને નુકસાન થશે.ખેતી ખતમ થઈ જશે અને ભૂગર્ભજળ પણ દુષિત થઈ જશે.એક તરફ લોકો મેથળા બંધારાની માંગણી કરે છે.જેની સરકારને પરવા નથી અને આ વિસ્તારને સરકાર માઈનિંગ માટે મંજુરી આપી ખતમ કરવા માંગે છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments