Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગર: તળાવમાં ડૂબી જતાં 2 ભાઇઓ સહિત ચાર બાળકોના મોત

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (20:38 IST)
ભાવનગર જિલ્લાના મોતીવાવડી ગામમાં એક તળાવમાં ડૂબતાં બે ભાઇઓ સહિત ચાર છોકરાના મોત થયા છે. ગારિયાધર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 10 થી13 વર્ષની ઉંમરના ચાર બાળકોની લાશ બચાવકર્મીઓએ સોમવારે મોડી રાત્રે બહાર કાઢી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ તળાવમાં પાણી ભરવામાં આવ્યું હતું. 
 
અધિકારીના જણાવ્યા અનુસાર ચાર બાળકો સોમવારે તળાવ પર ગયા હતા. મોડું થયુ હોવાછતાળં બાળકો ઘરે પરત ફર્યા ન હતા. ઘરવાળાઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. બાળકોની સાઇકલ અને ચંપલ તળાવની પાસેથી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટુકડી અને પોલીસકર્મીઓએ મોડી રાત્રે સાડા બાર વાગે તળાવમાંથી બાળકોની લાશ બહાર કાઢી હતી. 
 
પોલીસે મૃતકોની ઓળખ તરૂણ ખોખાણી 10 વર્ષ, તેના ભાઇ મીત ખોખાણી 12 વર્ષ, મોંટૂ ભેદા 13 વર્ષ અને જયેશ કાકડિયા 12 વર્ષ તરીકે કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments