Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડીસામાં કેજરીવાલની સભા પહેલાં પોસ્ટર ફાડી સળગાવ્યાં,પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાને શાંત પાડ્યો

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (13:02 IST)
ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલાં પોસ્ટર ફાડીને સળગાવી દેતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મોડી રાત્રે પોસ્ટરો સળગાવતાં આપના કાર્યકર્તાઓએ ઘટનાસ્થળે પહોંચી ધરણાં પર બેસી આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે 'આપ'ના ઉમેદવાર રમેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે 'હવે ભાજપ જો આવી હરકત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ખાતરી આપું છું.

આમ આદમીના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.ડીસામાં આજે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજાવાની છે. એ પૂર્વે જ મોડી રાત્રે શહેરના માર્ગ ઉપર લગાવેલાં અરવિંદ કેજરીવાલનાં પોસ્ટરો ફાડીને સળગાવી દેવાયાં હતાં. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં AAPના ઉમેદવાર ડો. રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતાં ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ પોસ્ટરો ભાજપના કાર્યકર્તાઓએ ફાડ્યા છે. ભાજપના લોકો દ્વારા પોસ્ટરો ફાડીને સળગાવી દેવાતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે 2:00 વાગે ઊઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની 27 વર્ષના શાસનની નિષ્ફળતા છે. ભાજપે આવી હરકત કરતાં શરમ આવવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું એની ખાતરી આપું છું. છેલ્લે એ પણ વિનંતી કરું છું કે ભાજપ પાસે બીજાં કોઈ કામ બચ્યાં નથી એટલે તેમના આકાઓના લેંઘા-ઝભ્ભા ધોવાના હોય એ ધોઈ નાખો, કારણ કે 2 મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments