Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:25 IST)
વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. જોકે,ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે સત્તા તો મેળવી લીધી પણ પાટીદારોને આપેલાં એકેય વચન પૂર્ણ કર્યા નથી. હજુ સુધી પાટીદારો વિરૃધ્ધના ઘણાં કેસો પાછા ખેંચાયા નથી. આ કારણોસર પાટીદારોએ ફરી ભાજપ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ કરી છે. ૨૬મી સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ સરકાર સાથે યોજાયેલી બેઠકમાં પાટીદારોને એવુ વચન અપાયુ હતું કે,શહીદ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે,પાટીદારો વિરૃધ્ધ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યુ કે,નિર્દોષ પાટીદારો પર ખોટા કેસો કરાયાં છે.હજુયે ઘણાં કેસો પાછા ખેંચાયા નથી.સરકારે વચન તો આપ્યુ પણ પાળ્યુ નથી. આ ઉપરાંત અનામત અંગે સર્વે કરાવવા પણ વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરાયો નથી. એસપીજીએ હવે ફરી સરકાર વિરૃધ્ધ રણશિંગુ ફૂંકવા તૈયારીઓ કરી છે. આગામી સપ્તાહમાં પાટીદાર આગેવાનોની એક બેઠક યોજવા આયોજન ઘડાયુ છે જેમા ભાજપ સરકારે પાટીદારોને આપેલાં વચનો કેમ પૂર્ણ કરાયાં નથી તે મુદ્દે ચર્ચા કરાશે.જો સરકાર આ વાયદા પૂર્ણ ન કરે તો પુઃન આંદોલન કરવા રણનિતી ઘડવા નક્કી કરવામાં આવી રહ્યુ છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments