Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ફ્લેટની છત પર અરબી ઝંડો લગાવ્યો, પોલીસે ઉતારી લઈ લગાવનારની શોધખોળ આદરી

વડોદરામાં ફ્લેટની છત પર અરબી ઝંડો લગાવ્યો  પોલીસે ઉતારી લઈ લગાવનારની શોધખોળ આદરી
Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (13:20 IST)
An Arabic flag was installed on the roof of a flat in Vadodara
 ગુજરાતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. તો હવે વડોદરમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ તંગ થવા પામી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગાને જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝંડો દુર કરાવ્યો હતો. ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
 
તાત્કાલિક અરબી ઝંડો દુર કરવામાં આવ્યો
વડોદરા શહેરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લહેરાઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગા દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અરબી ઝંડો દુર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં દોડી આવી હતી. 
 
ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ 
કોર્પોરેટર નિતિન દોંગાએ કહ્યું કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની જરૂર પણ નહીં પડે. અરબી ઝંડા કોઇ પણ જગ્યાએ નહીં લાગે. અમે ખોટું કરતા નથી. અને ખોટું થવા દઇશું નહીં. આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો. બાકી અમે મહાદેવના સંતાનો છીએ કોઇ હવામાં હશે તો હવા કાઢી દેવામાં આવશે. સમગ્ર ઘટના બાદ અર્બન 7 ફ્લેટ્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. પોલીસ દ્વારા અરબી ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments