Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં AMTSની બસ ખાડામાં, એક મોટી દુર્ઘટના ટળી

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (13:37 IST)
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે ત્યારે મોટા અકસ્માતો થાય તે સ્વાભાવિક છે. અમદાવાદના રસ્તાઓની વાસ્તવિકતાની રજૂ કરતી આજે એક ઘટના બની હતી. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
એએમટીએસની 501 નંબરની બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. એએમટીએસની 501 નંબરની બસ સાથે અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવર લાલજીભાઈએ જણાવ્યું કે, ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ ખાબકી ત્યારે ત્યાં બેરિકેડ ન હતું. ત્યારે બસ સીધી આવીને ખાડામાં ખાબકી હતી. જોકે, બસની સ્પીડ 30 જેટલી હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ બેથી ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસ કાઢી લેવા માં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments