Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં AMTSની બસ ખાડામાં, એક મોટી દુર્ઘટના ટળી

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (13:37 IST)
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે ત્યારે મોટા અકસ્માતો થાય તે સ્વાભાવિક છે. અમદાવાદના રસ્તાઓની વાસ્તવિકતાની રજૂ કરતી આજે એક ઘટના બની હતી. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
એએમટીએસની 501 નંબરની બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. એએમટીએસની 501 નંબરની બસ સાથે અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવર લાલજીભાઈએ જણાવ્યું કે, ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ ખાબકી ત્યારે ત્યાં બેરિકેડ ન હતું. ત્યારે બસ સીધી આવીને ખાડામાં ખાબકી હતી. જોકે, બસની સ્પીડ 30 જેટલી હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ બેથી ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસ કાઢી લેવા માં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments