Webdunia - Bharat's app for daily news and videos

Install App

સી.આર પાટીલે પાર્ટી વિરોધી ગતિવિધિ માટે 38 પદાધિકારીઓને કર્યા સસ્પેંડ

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (13:16 IST)
નવસારી સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત બાદથી જ તે કાર્યકર્તાઓમાં જોવા મળી રહેલી નારાજગીને ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે પોતાના સૌરાષ્ટ્ર દરમિયાન પાર્ટીમાં ગુટબાજી કરવા વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હવે તેમણે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પાર્ટી વિરૂદ્ધ બગાવત કરનાર અને નગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને અંજામ આપનારને સસ્પેંડ કરી દીધા છે. 
 
જાણકારી અનુસાર ભાજપના પ્રદેશ અધ્યક્ષના નગર નિગમ ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ 38 ભાજપના પદાધિકારીઓને સસ્પેંડ કરી દીધા છે. આ સસ્પેંડ 38 પદાધિકારીઓમાં રાપરના 13, ઉપલેટાના 14, હારીજના 4, થરાદના 3, ખેડબ્રહ્માના 2 અને તળાજાના 2 અધિકારીઓ સામેલ છે. ભાજપના સભ્યો દ્વારા આ પાર્ટે વિરોધી ગતિવિધિઓ કારણે કેટલા સ્થળ પર ભાજપ પર નગરપાલિકાની સત્તા ગુમાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. એટલા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ સભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. 
 
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે 24 ઓગસ્ટ 2020ના રોજ આયોજિત નગરપાલિકાઓમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દરમિયાન પાર્ટીના જનાદેશનું અપમાન કરવાના આરોપને જોતાં અધ્યક્ષ સીઆર પાટીલના સૂચન પર નિમ્નલિખિત ચૂંટાયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી તત્કાલિક પ્રભાવથી સસ્પેંડ કરી દીધા છે. 
 
સસ્પેંડ સભ્યોમાં ખેડબ્રહ્મા નગર પાલિકાના દશરથ પ્રજાપતિ અને નિશા રાવલ, હારીજ નગરપાલિકના પ્રફૂલ પરમાર, ભગવતી ઠાકર, અમરત પ્રજાપતિ અને વિમળા રાવલ, થરાદ નગરપાલિકાથી કાંતા પંડ્યા, કાસમ પરમાર અને નર્મદા રાઠોડ, કચ્છના રાપર નગરપાલિકામાં જકુબ કુંભાર, મહેશ્વરિયા સોઢા, સકીના રાઉમા, મુળજી પરમાર, હતુભા સોધા, નિલાંબા વાઘેલા, હેતલ માળી, પ્રવીણ ઠક્કર, શૈલેષ શાહ, નરેન્દ્ર સોની, ગંગા સિયારિયા, ધીંગા પઢીયાર અને બળવંત વિસનજી સામેલ છે. 
 
સાથે સાથે ઉપલેટ નગરપાલિકાથી રણુભા જાડેજા, જયંતિ રાઠોડ, અમિતા કલવાડિયા, સુશીલાબા જાડેજા, જયશ્રી સોજિત્રા, વર્ષા કપુપારા, ઉષા વસારા, રામા કટારિયા, રમા ડાર, જગદીશ કપુપારા, દાના ચંદ્રવાડિયા, રાણી ચંદ્રવાડિયા, વર્ષા ડેરે અને અશ્વિન સામેલ છે. 
 
આ ઉપરાંત ભાવનગરના તળાજા નગર પાલિકાથી વીનૂ વેગડ અને લાડૂ રાઠોડ પણ સામેલ છે. મોટી વાત એ છે કે વીનૂ વેગડ કોંગ્રેસમાં સામેલ પણ થઇ ગયા છે અને કોંગ્રેસે તેમને તળાજા નગરપાલિકાના અધ્યક્ષના રૂપમાં સિલેક્ટ કર્યા છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments