Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ અમદાવાદમાં પાટીદાર આગેવાનો સાથે ચર્ચાઓ કરશે

Webdunia
શનિવાર, 12 મે 2018 (10:20 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોર બાદ સોમનાથ મંદિરે દર્શન કરશે. અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ તેઓ દિવ એરપોર્ટથી સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યાં તેઓ તેમના પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને મોડી સાંજે અમદાવાદ તેમના નિવાસસ્થાને આવશે. તેમજ પાટીદાર આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે અમિત શાહ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો સાથે સમય પસાર કરશે.

આ દરમિયાન તેઓ ગુજરાતના કેટલાક ચોક્કસ પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના કેટલાક પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ નવી દિલ્હી ખાતે અમિત શાહને મળ્યા હતા. તે સમયે અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન વધુ ચર્ચા કરીશું. આ ઉપરાંત અમિત શાહ ગુજરાત સરકારની કામગીરી અને બીજેપી સંગઠનની કામગીરીનો રિપોર્ટ પણ માગશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના બીજેપી નેતાઓ સાથે પણ બેઠક કરીને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી માર્ગ દર્શન આપશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments