Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 46 કિલો સોનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કિમમાં મુક્યું

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:56 IST)
ભારત સરકારની ગોલ્ડમોનિટાઈઝેશનની સ્કિમમાં હવે અંબાજી ટ્રસ્ટે પણ પોતાનો ફાળો આપ્યો છે. અંબાજી દેવસ્થાન દ્વારા 46 કિલો અને 700 ગ્રામ સોનું કેન્દ્રની મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના ગોલ્ડમોનિટાઈઝેશન સ્કિમમાં મુકવામાં આવ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 15 કરોડ 21 લાખ રૂપિયા આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યા છે જેના લીધે મંદિર ટ્રસ્ટને દર 7 વર્ષે 2 કરોડ 39 લાખનું વ્યાજ મળશે. આ સોનુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન મુજબ સાત વર્ષની મિડ ટર્મ માટે મુકવામાં આવ્યું છે.દેવ સ્થાન ટ્રસ્ટને દર વર્ષે 2.50 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી જુદા જુદા ચાર તબક્કામાં આ પ્રકારે સોનુ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે.ચાર તબક્કામાં 96 કિલોથી વધુ સોનુ આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે. જેના લીધે દેવસ્થાન ટ્રસ્ટને દર સાત વર્ષે 4.72 કરોડ આવક પ્રાપ્ત થશે. જેનાથી યાત્રિકો માટેની સિવિધા વધુ બહેતર બનાવી શકાશે. મંગળવારે જિલ્લા કલેકટર ટ્રસ્ટના વહીવટદાર અને તોલમાપ વિભાગના અધિકારીઓની મળેલ બેઠકમાં આ કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments