Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં દરિયાકાંઠે વસતા લોકોની સુરક્ષા માટે BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ

Webdunia
મંગળવાર, 13 જૂન 2023 (17:05 IST)
biparjoy cyclone

150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ્સ સાથે તહેનાત
 
ગુજરાત પર Biparjoy Cycloneનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે આ વાવાઝોડુ પ્રતિ આઠ કલાકના આઠ કિ.મીની ગતિથી આગળ વધતાં અતિ પ્રચંડ બની રહ્યું છે.હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત બચાવવા અલગ-અલગ જિલ્લામાં NDRF-SDRFની 29 ટીમ તહેનાત છે. દરિયાકાંઠે વસતા કચ્છવાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFના જવાનો એલર્ટ મોડમાં છે. 10 ટ્રક અને રેશનની કિટ સાથે જવાનો તહેનાત છે. BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે.  જેમાં 150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ્સ સાથે તહેનાત છે.
biparjoy cyclone
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા
વાવાઝોડાની અસરથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની દિશા આજ રાતથી જ બદલવા લાગશે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા દેખાઇ રહી છે.
biparjoy cyclone
20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો,કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500,પોરબંદરમાંથી 543,દ્વારકામાંથી 4,820, સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
 
કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરવાનો આદેશ
બિપરજોય વાવાઝોડા સામે કચ્છના કલેક્ટરે લોકોને આપીલ સાવધાનીના પગલા અનુસરવા કહ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે. દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારના ગામોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગે ગામની પ્રથામિક શાળાને સેટર હોમ તરીકે મૂકવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments