Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ યુનિવર્સિટીએ B.COM.ની 16 લાખ ફી વસૂલતાં NSUIનો હંગામો, રામધૂન બોલાવી વિરોધ કર્યો

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (17:20 IST)
એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી તરફ રેલી કાઢીને ખાનગીકરણ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા
 
અમદાવાદઃ શહેરમાં ફી મામલે ફરીવાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી લેવામાં આવતી હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી એનએસયુઆઈના કાર્યકરો પહેલાં રેલી કાઢી હતી અને બાદમાં ગેટ કૂદીને અંદર પહોંચ્યા હતાં. ત્યાં રામધૂન બોલાવીને સુત્રોચ્ચાર કર્યા હતાં. 
 
ફી ઘટાડો કરવા આજે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા આજે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ જેવા સામાન્ય કોર્સ માટે 16 લાખ કરતાં વધુ ફી વસૂલવામાં આવી રહી છે. 
16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ
સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.ખાનગીકરણ વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી. અમદાવાદ યુનિવર્સિટીનો ગેટ બંધ અને બહાર પોલીસ હોવા છતાં NSUIના કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણ કરીને યુનિવર્સિટીનો ગેટ કૂદીને અંદર પહોંચી ગયા હતા.એક બાદ એક 50 કાર્યકરો ગેટ કૂદીને ગેટની અંદર બેસી ગયા હતા.ગેટની અંદર બેસીને કાર્યકરોએ ધૂન બોલાવી હતી તથા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments