Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટમાં જ હવે RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ, પાંચ કલાકમાં ટેસ્ટનો રીપોર્ટ મોબાઇલમાં મળી જશે

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (11:39 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર જ મુસાફરોને  RT-PCR ટેસ્ટની સુવિધા મળી રહેશે. જેના કારણે એરપોર્ટ પરથી વિદેશ જતા અલબત્ત કનેક્ટીંગ મુસાફરોને ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવાની સેવા મળતા ઘણી રાહત થશે. મહારાષ્ટ્ર સરકારે અમદાવાદ સહિત ગોવા, રાજસ્થાન, દિલ્હીથી આવતા મુસાફરો માટેRT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તેમજ અમદાવાદથી દુબઇ જતા મુસાફરોને નેગેટિવ ટેસ્ટની કોપી ટિકિટ સાથે રાખવી આવશ્યક છે. ત્યારે અમદાવાદના અતિવ્યસ્ત રહેતા એરપોર્ટ પર આજથી બુધવારથી મુસાફરોને RT-PCR ટેસ્ટની સુવિધા મળી રહેશે. ખાસ કરીને ઇમરજન્સીમાં મુંબઇ જનાર મુસાફરોને પણ ફાયદો થશે. આ ઉપરાંત એરપોર્ટ પરથી અવરજવર કરનાર મુસાફરને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવો હોય તો પણ કરી શકશે. આ સુવિધા એરપોર્ટ પર ડેમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતા એસ્કેલેટરની બંને સાઇડે અંદરની બાજુએ 24 કલાક માટે મેડિકલ ટીમ તૈનાત કરાઇ છે. ઘણી વખત એરપોર્ટ પરRT-PCR વિના જ એરપોર્ટ પર પહોંચી જતા મુસાફરોએ ઘરે પરત ફરવુ પડયુ છે. એટલું જ નહીં અમદાવાદથી કનેકીંટગ મુસાફરો જે મુંબઇ જતા હોય અથવા વિદેશ જતા હોય તેમની પાસે સમય હશે તો આ સુવિધાનો લાભ એરપોર્ટ પર જ લઇ શકશે. આ રિપોર્ટ મુસાફરોને પાંચ કલાકમાં મોબાઇલ પર જ મળી રહેશે. એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ માટે એક ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે, જે સરકારના ધારાધોરણ મુજબ મુસાફરો પાસેથી ટેસ્ટીંગનો ચાર્જ વસૂલ કરશે. ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી પાંચ ફ્લાઇટ કેન્સલ રહી છે જ્યારે પાંચના શેડયૂલ 1 કલાકથી વધુ સમય માટે ખોરવાયા છે. સ્પાઇસ જેટની અમદાવાદ-જમ્મુ, જમ્મુ-અમદાવાદ, ઇન્ડિગોની લખનૌ-અમદાવાદ, અમદાવાદ-લખનૌગો એરની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ કેન્સલ રહી હતી. ગો એરની કોલકાતા-અમદાવાદને 1.30 કલાક, સ્પાઇસ જેટની અમદાવાદ-વારાણસીને 1.12 કલાક, વારાણસી-અમદાવાદને 1.15 કલાકનો વિલંબ થયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments