Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં 27.1%નો વધારો

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (12:30 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ફ્લાઇટની આવાગમન એ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જૂન ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાંથી ૬,૯૯,૩૬૦ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હતા. આમ, જૂન ૨૦૧૭ કરતા જૂન ૨૦૧૮માં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં ૨૭.૧ ટકાનો વધારો થયો હતો. જૂન ૨૦૧૮ના આંકડા પર નજર કરતા એમ કહી શકાય કે અમદાવાદમાંથી દરરોજ સરેરાશ ૨૩૩૧૨ ડોમેસ્ટિક મુસાફરોએ આવાગમન કર્યું હતું. બીજી તરફ જૂન ૨૦૧૮માં ઇન્ટરનેશનલમાં મુસાફરોની સંખ્યા ૧,૫૫, ૬૯૨ નોંધાઇ હતી. જેની સરખામણીએ જૂન ૨૦૧૭માં ૧.૩૨ લાખ ઇન્ટરનેશનલ મુસાફરો નોંધાયા હતા. એમ કહી શકાય કે એક વર્ષમાં અમદાવાદથી ઇન્ટરનેશનલ મુસાફરોમાં ૧૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું, ૫૨૧૦ ડોમેસ્ટિક એરક્રાફ્ટનું આવાગમન નોંધાયું છે. બીજી તરફ જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું અમદાવાદમાં આવાગમન નોંધાયું છે. જે ગત વર્ષ કરતા ૩.૭ ટકા વધારે છે. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાં ૯૧.૭૪ લાખ મુસાફરોએ આવાગમન કર્યું હતું. દેશમાં સૌથી વધુ મુસાફરોનું આવાગમન હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ આઠમા ક્રમે છે

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments