Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદનું નામ બદલવામાં પણ રાજનિતી, હવે કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:19 IST)
અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપા ચૂંટણી જીતવા કોમી એકતા અને ભાઇચારાની ભાવના સાથે રહેતા અમદાવાદીઓમાં વૈમનસ્ય ફેલાવાની ગંદી રાજનીતિ કરે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે અમદાવાદનુ નામ બદલવાની ગંદી રાજનીતિ શરૂ કરી છે. અમદાવાદનુ નામ ઇતિહાસ સાથે જોડાયેલુ હોવાથી તેમાં છેડછાડ કરવી જોઇંએ નહીંતેમણે સવાલો ઉઠાવ્યા કે જો ભાજપે અમદાવાદનુ નામ બદલવું હતું તો યુનેસ્કોને વલ્ડ હેરીટેઝ માટે મોકલાયેલા ડોઝીયરમાં અમદાવાદ નામ કેમ રાખ્યું હતું? વર્ષ ૨૦૧૯ની ચૂંટણી નજીક છે ત્યારે જ કેમ કર્ણાવતી નામ યાદ આવ્યું? અમદાવાદનુ નામ કર્ણાવતી કરાવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૮ વર્ષથી રાજકીય રોટલા શકે છે ભાજપાને ચૂંટણી નજીક આવતા રામ, રામ મંદિર કલમ ૩૭૦ અને કર્ણાવતી યાદ આવે છે. તેમણે ચિમકી પણ ઉચ્ચારી કો જો અમદાવદાનું નામ કર્ણાવતી કરવાની કવાયત થકી જો ભાજપ કોમી ધ્રુવીકરણની રાજનીતિ બંધ નહીં કરે તો તેઓ જન આંદોલન કરશે.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments