Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી બાદ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું ચલણ વધ્યું હોવાની ચર્ચાઓ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (11:33 IST)
ક્રિપ્ટોકરન્સી પર સરકારનો કંટ્રોલ નથી હોતો અને દુનિયાભરમાં તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે. નોટબંધી પછી રોકાણકરો મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષિત થયા છે.  નિષ્ણાંતો જણાવે છે કે, ગુજરાતમાં લગભગ અઢી હજાર કરોડ રુપિયા કરતાં વધુ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં થયું છે. ગત બે-ત્રણ વર્ષમાં અમદાવાદ અને સુરતની અનેક કંપનીઓ ICOsમાં શામેલ થઈ છે. આ પ્રાઈવેટ એક્ષચેન્જીસ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘણાં લોકો આ પ્રાઈવેટ એક્ષચેન્જને કારણે છેતરાયા પણ છે. આ વિષયના એક નિષ્ણાંત જણાવે છે કે, રોકાણકારોને પ્રતિદિવસ 10 ટકા જેવા ઉંચા વ્યાજના દરે 180 દિવસ માટે પૈસા રોકવાની ઓફર કરવામાં આવે છે.

180 દિવસના અંતે રોકાણકાર પાસે બે ડિજીટલ વોલેટ્સ હશે, એકમાં મુદ્દલ રકમ અને બીજા વોલેટમાં વ્યાજની રકમ. રોકાણકાર જોઈ શકે છે કે તેણે રોકેલા પૈસાની કિંમત વધી રહી છે, પરંતુ તે વર્ચ્યુઅલ હોય છે. 6 મહિના સમાપ્ત થાય તે પહેલા ઓપરેટર બિઝનેસ સંકેલીને પૈસા સાથે ફરાર થઈ જાય છે. આવા અમુક કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી પર ભારત સરકારના વલણને કારણે નવી એન્ટ્રી સ્લો થઈ ગઈ છે. 
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments