Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં સારવાર લેવા આવેલી મહિલા બેભાન થઈ ઢળી પડી; ડોક્ટરે CPR આપી બચાવી લીધી

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (12:31 IST)
A woman who came to Surat for treatment fell unconscious
રાજ્યમાં થોડા સમયથી હાર્ટ-એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન જ મહિલા બેભાન થઈ ઢળી પડી હતી. જેથી તાત્કાલિક તબીબે CPR આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી હતી.

આ સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર એન્ડ ક્યોર હોમિયોપથિક ક્લિનિક આવેલું છે. જેમાં ડોક્ટર તરીકે અય્યાઝ ઘોઘારી કામ કરે છે. ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝબાનો નામની મહિલા ગળામાંથી ભોજન નીચે ન ઊતરવા અને અશક્તિ અનુભવતા હોવાની ફરિયાદ સાથે ક્લિનિક આવ્યાં હતાં. ડો. અય્યાઝ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા. તે જ દરમિયાન શહેનાઝબાનો બેભાન થઈ ઢળી પડ્યાં હતાં.મહિલા અચાનક ઢળી પડતાં પહેલાં ડો. અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જ મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. મહિલા એકદમ ઢળી પડતાં ડો. અય્યાઝે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments