Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટામાં ઝૂંપડામાં ભીષણ આગ, 1 બાળકીનું મોત, 5 ગંભીર રીતે દાઝ્યા

Webdunia
મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (11:27 IST)
રાજકોટમાં એક વિચિત્ર આગની ઘટના સામે આવી છે. જેમાં સોમવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ લાગતાં 3 બાળકો સહિત 5 વ્યક્તિને ગંભીર રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાઅ. જેમાં એક સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. 
 
પોલીસ સૂત્રોના જણાવ્ય અનુસાર રાજકોટના કુવાડવા રોડ પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પુરી સોલંકી (1 વર્ષ), પૂંજી સોલંકી (8 વર્ષ) પ્રિયા સોલંકી  (10 વર્ષ) ભાવુબેન સોલંકી (25 વર્ષ) અને રૂપા સોલંકી (26 વર્ષ) અને બે બાળકી દાઝી જતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.
 
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને પાણી મારો ચલાવતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments