Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત

Webdunia
બુધવાર, 12 જૂન 2024 (16:58 IST)
surat child death
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે.હાઉસ કીપિંગનુ કામ કરતી માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. બે વર્ષનું માસૂમ બાળક 7મા માળે ગેલેરીમાં રમતું હતું અને માતા કામ કરી રહી હતી. તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું.આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 
 
સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વરાછા રોડ ખાતે રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ હતી. સીસીટીવી પ્રમાણે શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક રમી રહ્યું હતું.બાળકે બે હાથે પકડેલી રેલિંગ પરથી જોતજોતામાં જ તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી નીચે પટકાય છે. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો.પાલ પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments