Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજુલામાં રોડ વચ્ચે બેઠેલા ઢોર પર બાઇક ચડી ગયું, જુઓ હચમચાવી નાંખતા CCTV

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2024 (15:52 IST)
ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરોને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે અમરેલીના રાજુલામાં જાફરાબાદ માર્ગ પર બેઠેલા ઢોરોને કારણે હચમચાવી નાંખતો અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તા વચ્ચે બેઠેલાં ઢોરો પર ત્રિપલ સવારી આવતું બાઇક ચડી જતાં બાઇક સવાર ત્રણેય યુવક ઊછળીને 10 ફૂટ દૂર ફંગોળાયા હતા. આ ત્રણેય લોકોને સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ ઘટના મુળ ચાર ઓગસ્ટની છે જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. 
 
ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લામાં પાંચ દિવસ અગાઉ જ ધારીમાં બાખડી રહેલા આખલાઓએ ડોક્ટરને કચડ્યા હતા એ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઇ હતી. 4 ઓગસ્ટના રોજ રાજુલામાં થયેલા અકસ્માતના પણ હવે સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ટ્રિપલ સવારી બાઇક પશુઓ પર ચડી ગઈ હોવાનું જોવા મળે છે.રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર ગત 4 તારીખે અડિંગો જમાવીને રખડતાં પશુઓ બેઠા હતા. ત્યારે પૂરઝડપે આવતા ટ્રિપલ સવારી બાઇકચાલકને પશુઓ ન દેખાતાં બાઇક ઉપર ચડી ગઈ હતી, જેમાં ત્રણેય બાઇકસવારો બાઇક ઉપરથી ઊછળીને રીતસર 10 ફૂટ જેટલા દૂર પટકાયા હતા, જેના કારણે ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments