Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સાવજ બાદ હવે મોર પર જોખમ, કચ્છમાંથી 30 મોરના મૃતદેહો મળ્યાં

Webdunia
ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (13:09 IST)
ગુજરાતમાં હાલમાં ચર્ચાસ્પદ કિસ્સો ડાલામથ્થા એવા ગીર કેસરીનો છે. ગીરના સાવજની જિંદગી હવે મોત સામે ઝોલા ખાઈ રહી છે. ત્યારે કચ્છના રાપલ તાલુકામાં આવેલા ગોગાધર ગામમાંથી ઓછામાં ઓછા 30 મોર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ મોરનાં મૃત્યુ કઈ રીતે થયા છે તે કારણ એક રહસ્ય છે.વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગામના બહારના ભાગમાં 30 પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, તેમાં મોર પણ હતા અને ઢેલ પણ હતી.

રાષ્ટ્રીય પક્ષીના આટલી મોટી સંખ્યામાં મૃતદેહ જોઈને ગામના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટર્સ ગામ પહોંચ્યા હતા અને એનાલિસિસ માટે સેમ્પલ્સ કલેક્ટ કર્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, મોરના મૃત્યુ પાછળનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. સેમ્પલનું એનાલિસિસ અને ટેસ્ટ કર્યા પછી જ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.
 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments