Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 નવેમ્બરથી રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

5 નવેમ્બરથી રાજકોટથી દ્વારકા  સોમનાથ  અમદાવાદ  સુરત જેવાં સ્થળોએ જવા માટે 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે
Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2023 (13:03 IST)
rajkot to dwarka
ગુજરાતમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. લોકો તહેવારની સિઝનમાં પોતાના વતન તરફ પ્રયાણ કરશે. ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં સુરતથી અન્ય શહેરોમાં જવા માટે બસોની સંખ્યા વધારાઈ હતી

હવે રાજકોટથી અન્ય શહેરોમાં જવા માટે બસોની સંખ્યા વધારવામાં આવી છે. એસટી વિભાગ રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવશે.રાજકોટ એસ. ટી. તંત્રના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં તહેવાર પર નક્કી કરાયેલા રૂટ પર વધુ 150 જેટલી બસ દોડાવાશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર તરફ મુસાફરી કરતાં મુસાફરોને તેનો લાભ મળશે. 5 નવેમ્બર સુધીમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. ખાસ કરીને દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને પંચમહાલ જેવા રૂટ પર આ વધારાની બસો દોડાવાશે.વેકેશનમાં કેટલીક એકસ્ટ્રા બસમાં મુસાફરોએ રેગ્યુલર ભાડા કરતા થોડું વધારે ભાડું ચૂકવવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments