Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સ્ટેડિયમની આસપાસ 14 પાર્કિંગ પ્લોટમાં 15,000 ટૂ-વ્હીલર, 4,750થી વધુ ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2023 (13:20 IST)
19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ હાઇ પ્રોફાઇલ મેચને જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને એમાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોય ત્યારે સ્ટેડિયમની એકપણ સીટ કેવી રીતે ખાલી મળે.

મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ હશે તથા મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન સાથે પણ મેચ જોવા પહોંચશે. ત્યારે આ દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે એ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે.

Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 14 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટૂ-વ્હીલર માટે, એક પ્લોટ ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 10 પ્લોટ ફોર-વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 14 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટૂ-વ્હીલર અને 4,750 જેટલાં ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments