Webdunia - Bharat's app for daily news and videos

Install App

142મી રથયાત્રા: AMCના અધિકારીઓ દ્વારા કરાયું રથયાત્રા રૂટનું નિરિક્ષણ

Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (09:05 IST)
અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રથયાત્રાને લઇ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે શહેરના મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે રથયાત્રા પૂર્વે કરવામાં આવતી તમામ કામગીરીની સમિક્ષા પણ કરી હતી.
 
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મેયર સહિતના અધિકારીઓએ જમાલપુરથી સરસપુર સુધીના રૂટનું નિરિક્ષણ કરતા પહેલા જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા.
 
ત્યારબાદ અધિકારીઓ દ્વારા યાત્રાના રૂટ પરનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટીસ ફટકારવામાં આવી છે. આખરે તમામ અધિકારીઓ સરસપુર મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાનના દર્શન કર્યા અને તે દરમિયાન મેયરે જણાવ્યું હતુ કે, મોટાભાગે કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બાકીની કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments