Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદઃ , બુધવાર, 26 જૂન 2019 (11:17 IST)
જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે. 

ભગવાનનું મોસાળ ગણાતું સરસપુરમાં પણ લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તૈયારીના ભાગરૂપે મંદિરમાં પર સમારકામ અને જે રથમા સવાર થઈને ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈને નગરનું પરિભ્રમણ કરશે, તે રથોનું શણગારવાનું કાર્ય પણ જોર શોરથી ચાલી રહ્યું છે. 

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામા નું ઘર કહેવાય છે જે મંદિરમાં પણ તૈયારીઓ શરુ કરાઇ છે જેમાં મંદિરનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'વિજય રૂપાણી સાહેબ, દલિત ખેડૂતોને જીવનું જોખમ છે, બચાવશો કે મરવા દેશો?'