Dharma Sangrah

Ramadan 2024: રમજાનમાં કેવી રીતે થઈ રોજા રાખવાની શરૂઆત, જાણો કેટલો જૂનો છે રોજાનો ઈતિહાસ

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2024 (14:54 IST)
importance of Ramadan
Ramadan 2024: આ વર્ષે 11 માર્ચથી રમઝાન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. ઈસ્લામ ધર્મમાં રમઝાનને બધા મહિનાઓમાં સૌથી પવિત્ર અને ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. શાબાન એટલે કે ઈસ્લામિક કેલેંડરનો આઠમો મહિના પછી રમજાનની શરૂઆત થાય છે. રમજાનના આખા મહિનામાં મુસલમાન રોજા રાખે છે.  આમ તો ઈસ્લામમાં રોજા રાખવાની પરંપરા ખૂબ જૂની છે અને વર્ષોથી લોકો રોજા રાખતા આવી રહ્યા છે. પણ રમજાનના મહિનામાં રોજા રાખવાની પરંપરાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ. આવો જાણીએ આ વિશે વિસ્તારથી.. 
 
કેવી રીતે થઈ રમજાનમાં રોજા રાખવાની શરૂઆત 
 
રમજાન શબ્દની ઉત્પત્તિ અરબીના અર-રમદ કે રમિદા દ્વારા થઈ છે. તેનો મતલબ હોય છે કડકડતી ગરમી. રોજા ઈસ્લામના 5 મૂળ સ્તંભોમાંથી એક છે. તેથી બધા મુસલમાનો માટે રોજા રાખવા ફર્જ હોય છે. એવુ માનવામાં આવે છે કે માહ-એ-રમજાનમાં જ પૈગંબર મુહમ્મદ સાહેબને મુસલમાનોના પવિત્ર ધાર્મિક કુરઆનનુ જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ. બધા મુસલમાનોને ઈસ્લામના ફર્જોનુ પાલન કરવુ જરૂરી હોય છે અને તેથી રોજા રાખવા પણ અનિવાર્ય છે. જો કે ખૂબ નાના બાળકો, વૃદ્ધ,ગંભીર બીમારી, માસિક કે અન્ય સમસ્યાઓમાં રોજા ન રાખવાની છૂટ આપવામાં આવી છે. 
 
ઈસ્લામમાં રોજા રાખવાની પરંપરા ખૂબ જૂની છે. સૌથી પહેલા મક્કા-મદીનામાં કેટલીક વિશેષ તારીખો પર રોજા રાખવામાં આવે છે. પણ આ રોજા એક મહિનો નહી પણ આંશિક રૂપમાં રાખવામાં આવે છે. કારણ કે ત્યારે ઈસ્લામમાં રોજા ફર્જ નહોતા. આવામાં કોઈ આશૂરા રોજા રાખતુ હતુ તો કોઈ ચંદ્ર મહિનાની 13, 14 અને 15 તારીખે રોજા રાખતા હતા.  પછી પૈગંબર મોહમ્મદના મક્કા-મદીના ગયા પછી વર્ષ 624માં કુરાનની આયત દ્વારા રોજાને ફર્જમાં સામેલ કરવામાં આવ્યા અને આ રીતે રમજાનના મહિનામાં રોજા રાખવા મુસલમાનો માટે અનિવાર્ય થઈ ગયા. ઉલ્લેખનીય છે કે પૈગંવર મુહમ્મદને અલ્લાહનો દૂજ માનવામાં આવે છે. 

Edited by - Kalyani Deshmukh 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments