rashifal-2026

રક્ષા બંધન પર કરો આ 7 જરૂરી કામ

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (17:23 IST)
રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે..આપ સૌ તેની તૈયારીમાં લાગ્યા છો તો મિત્રો રક્ષા બંધન પર 7 કામ જરૂર કરજો આવો જાણીએ તેના વિશે.. 
 
1 કંકુ - દરેક શુભ કામની શરૂઆત કંકુનુ તિલક લગાવીને કરવામાં આવે છે  આ પરંપરા ખૂબ જૂની છે અને આજે પણ તેનુ પાલન કરવામાં આવે છે.  બહેન તિલક લગાવીને પોતાના ભાઈ પ્રત્યે સન્માન પગટ કરે છે અને સાથે જ તેના  લાંબા આયુષ્યની પ્રાર્થના પણ  કરે છે. 
 
2. ચોખા - કંકુ લગાવ્યા પછી તેના  પર ચોખા પણ લગાવવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે અક્ષત એટલે કે જે અધૂરા ન હોય.. તિલક પર અક્ષત લગાવવાનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈના જીવન પર તિલકની શુભ અસર હંમેશા કાયમ રહે
 
 
3. નારિયળ - નારિયળને શ્રીફળ કહેવામાં આવે છે. આ સુખ સમૃદ્ધિનુ પ્રતિક છે. બહેન ભાઈને નારિયળ આપીને પ્રાર્થના કરે છે કે ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે. 
 
 
4. રક્ષાસૂત્ર - રક્ષા સૂત્ર બાંધવાથી ત્રિદોષ શાત થાય છે. ત્રિદોષ મતલબ વાત.. પિત્ત અને કફ .. . આપણા શરીરમાં કોઈપણ બીમારી આ ત્રિદોષને કારણે જ થાય છે. રક્ષા સૂત્ર બાંધવાથી આપણા શરીરમાં આ ત્રિદોષનું  સમતુલન જળવાય રહે છે. આ દોરો બાંધવાથી કાંડાની નસો પર દબાણ પડે છે જેને લીધે આ ત્રણેય દોષ નિયંત્રણમાં રહે છે. રક્ષા સૂત્રનો અર્થ છે. ..  એ સૂત્ર જે આપણા શરીરની રક્ષા કરે છે.  રાખડી બાંધવાનુ મનોવૈજ્ઞાનિક પક્ષ પણ છે. બહેન ભાઈને રાખડી બાંધીને જીવનભર પોતાની રક્ષા કરવાનુ વચન લે છે.  ભાઈને આ રક્ષા સૂત્ર હમેશા એ વાતની યાદ અપાવતુ રહે છે કે તેને બહેનની રક્ષા કરવાની છે. 
 
 
5. મીઠાઈ - રાખડી બાંધ્યા પછી બહેન પોતાના ભાઈનુ મોઢુ મીઠુ કરે છે મીઠાઈ ખવડાવવા પાછળનુ તાત્પર્ય એ છે કે બહેન અને ભાઈના સંબંધોમાં ક્યારેય કડવાશ ન આવે. મીઠાઈની જેમ જ આ સંબંધની મીઠાશ પણ કાયમ રહે. 
 
 
6. દીવો - રાખડી બાંધ્યા પછી બહેન દીવો પ્રગટાવીને ભાઈની આરતી પણ ઉતારે છે. આ સંબંધમાં માન્યતા છે કે આરતી ઉતારવાથી બધા પ્રકારની ખરાબ દ્રષ્ટિથી ભાઈની રક્ષા થાય છે. આરતી ઉતારીને બહેન એ કામના કરે છે કે ભાઈ હંમેશા સ્વસ્થ અને સુખી રહે. 
 
7 પાણીથી ભરેલો કળશ - રાખડીની થાળીમાં પાણીથી ભરેલો એક કળશ પણ મુકવામાં આવે છે. આ કુંભના જળને કુમકુમમાં મિક્સ કરીને તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ કળશમાં બધા પવિત્ર તીર્થ અને દેવી દેવતાઓનો વાસ હોય છે.   આ કળશના પ્રભાવથી ભાઈ અને બહેનના જીવનમાં સુખ અને સ્નેહ કાયમ રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments