Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં લોકડાઉનને લીધે બેકારીથી કંટાળીને આપઘાત કર્યો

Webdunia
બુધવાર, 13 મે 2020 (13:20 IST)
લોકડાઉનને લીધે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. આવી પરિસ્થિતિમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા લોકો માટે તો આફતના દિવસો આવી ગયા છે. ત્યારે મૂળ લોધિકાના ચીભડા ગામનો અને રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ખોડિયાર પાર્કમા મોટાભાઈ સાથે રહી ચાંદીકામ કરી ગુજરાન ચલાવતા નીરવ બાબુભાઇ ભાડુકીયા નામના યુવાને કામધંધો બંધ હોય બેકારીથી કંટાળી ગત રાત્રે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના ASI યુ.બી. પવારે જણાવ્યું હતું કે, યુવાને બેકારીથી કંટાળી આપઘાત કર્યો છે.  થોડા દિવસ પહેલા જ રાજકોટના કુવાડવા ગામે રહેતા 95 વર્ષના વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કર્યો હતો. બીડી વગર તેને કુદરતી હાજતે જવાની તકલીફ પડી રહી હતી. આથી તેઓ આખરે કંટાળ્યા હતા અને ઘરના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટમાં એક યુવાનને તમાકુ ન મળતા અગ્નિસ્નાન કર્યું હતું.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments