Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ-નક્સલવાદ ફેલાવી રહી છેઃ મંત્રી ઋષિકેશ પટેલ

Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2024 (13:27 IST)
Congress is spreading terrorism-Naxalism by combining Muslim League and Communists: Minister Rishikesh Patel
લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણીમાં જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયના શુભારંભ સમયે ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા.

જાહેરસભાને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે, કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે.ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા અંબાજી ખાતે ગુજરાત સરકારના આરોગ્યમંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાર બાદ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. જ્યાં રિબન કાપી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા. ત્યાર બાદ તેમણે દાંતા રોડ પર જાહેરસભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ટોપી અને ખેસ સાથે હાજર રહ્યા હતા.

અંબાજી ખાતે ઋષિકેશ પટેલે કોંગ્રેસને મુસ્લિમ લીગ પાર્ટી ગણાવીને તેના પર આકરા આક્ષેપો કર્યા હતા. અંબાજી ખાતે ભાજપના કાર્યાલયને ખુલ્લું મુકાયું ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે પોતાના એજન્ડાને ન્યાયપત્ર નામ આપ્યું છે, પણ એમાં અન્યાય સિવાય કંઇ વાત નથી. કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગના 1947ના એજન્ડાને 2024મા અમલ કરવા જઈ રહી છે. કોંગ્રેસ સામ્યવાદીઓને ભેગા કરીને આપણા દેશમાં આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે મોદીસાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે. આવનારી ચૂંટણી આગામી 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરતી ચૂંટણી છે, માટે ભાજપને જિતાડવા રેખાબેનને વોટ આપજો. આવનારા સમયમાં ભાજપ સરકાર અંબાજી કોરિડોરનો વિકાસ કરવા જઇ રહી છે ત્યારે આપણે સૌએ વિકાસના નામે વોટ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 200 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારની ક્રિકેટ ટીમોને બેટ-બોલ અને સ્ટમપની કિટ અપાઈ હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments