Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસ દમનમાં મૃતક પાટીદારોના પરિવારોને 20 લાખની સહાય અપાઈ

પોલીસ દમનમાં મૃતક પાટીદારોના પરિવારોને 20 લાખની સહાય અપાઈ
Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:59 IST)
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમન થયું હતું. ત્યારે આ દમનમાં ગુરુવારે14 મૃતકના પરિવારોને 20 લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. ધાર્મિક સંસ્થાઓએ કરેલ સહાયમાં અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે ત્રણ પરિવારને , સરદારધામ- વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્રારા વસ્ત્રાલના બે પરિવારને, તેમજ મહેસાણામાં ચાર મૃતક પાટીદારના પરિવારનો સહાય ચૂકવી હતી. ઉમિયા કેરિયર ડેવલેપમેન્ટ કાઉન્સીલના ચેરમેન આર.પી. પટેલે જણાવ્યુ હતું કે આંદોલનને પૂર્ણ કરવા માટે તમામ ધાર્મિક સંસ્થાઓ દ્રારા સરકાર પર દબાણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ જ ત્રણ નિર્ણય સરકારે સ્વીકાર્યા તથા મૃતકોને સહાય કરવાનો નિર્ણય ધાર્મિક સંસ્થાઓ દ્રારા કરવામાં આવ્યો. જેમાં અમે એક કમિટી બનાવીને આર્થિક સહાય કરવામાં આવી છે. સરકાર સાથે અર્ધસરકારી નોકરી અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. જે સરકાર નહી આપાવી શકશે તો ધાર્મિક સંસ્થાઓ પોતાની રીતે નોકરીમાં સહાય કરશે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર, ધાર્મિક સંસ્થાઓ, પાસ અને એસપીજીના આગેવાનોની વચ્ચે મૃત્તકોને આર્થિક સહાય આપવાની બાંયધરી ધાર્મિક સંસ્થાઓએ લીધી હતી. જે વાતની જાહેરાત દરમિયાન આંદોલનકારીઓ વિરોધ કરીને ધાર્મિક સંસ્થાઓ વિરુદ્ધ આંગળી ચીંધી હતી. જેથી અમે ઇન્કમટેક્સની ચિંતા કર્યા વગર સમાજના પરિવારોની મદદ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments