Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાસમાં તીરાડ પડી - કેતન પટેલે હાર્દિક પટેલને અપરિપક્વ ગણાવતા મામલો ગરમાયો

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2016 (12:25 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)માં હવે સ્પષ્ટ તિરાડ પડેલી સામે આવી છે.પાસના આગેવાન કેતન પટેલે હાર્દિક પટેલને અપરિપક્વ ગણાવતા મામલો ગરમાયો હતો. 

બીજી તરફ ઉત્તર ગુજરાતના બહુચરાજીથી ઊંઝા સુધીની 13 ઓગષ્ટે નીકળનારી પાટીદાર એકતા યાત્રાનો વિવાદ ઊઠ્યો છે. એકતા યાત્રાની જાહેરાત અગાઉ હાર્દિક પટેલની સંમતિ લેવાઇ ન હતી તેમ 'પાસ'ના કન્વીનરે કબૂલાત કરી હોઇ નવો વિવાદ ઊઠ્યો છે.

એકતા યાત્રાના સંદર્ભમાં હાર્દિક પટેલની સંમતિ અંગે વરુણ પટેલ કહે છે કે, 'એકતા યાત્રા માટે હાર્દિક પટેલની સંમતિ લેવી જરૂરી નથી. 'પાસ'નો કોઇ પણ કાર્યક્રમ હોય તો હાર્દિકને પૂછવું પડે, જયારે આ તો પાટીદાર સમાજનો કાર્યક્રમ છે. પાટીદારોએ કોઇને પૂછવાની જરૂર નથી.

પાસમાં આ તડાં પડવાનું કારણ કન્વીર્સની નિમણુંકો માનવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાતના કન્વીનરપદે સુરેશ ઠાકરેની નિમણૂક સામે જ હાર્દિક પટેલે પોતાના છેલ્લા વીડિયો મેસેજમાં સંબંધિતોને આડકતરી ચીમકી આપી હતી.

આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલે વિડીયો મેસેજ મોકલીને કેટલીક સ્પષ્ટતા કરવી પડી છે. જેમા હાર્દિક પટેલે તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમિતીમાં કરવામાં આવેલા ફેરફારને લઈને સ્પષ્ટતા કરી છે. આ વિડીયોમાં હાર્દિકે પાટીદારોને વિનંતી કરી છે કે સંગઠનમાં થયેલા ફેરફારોને લઈને કોઈએ ખોટુ અર્થઘટન કરવુ નહી. હું નવ મહીના સુધી જેલમાં રહ્યો છું અને હજી છ મહીના ગુજરાત બહાર રહેવાનુ છું. ત્યારે એવુ સમજવાની જરૂર નથી કે પાટીદાર સમાજ નિરાધાર થઈ ગયો છે. પાટીદાર સમાજના હક માટે સૌ કોઈ લડી રહ્યા છીએ. કોઈ જાતિ કે હોદ્દો મોટો નથી. જેથી તમામ લોકોએ કોઈપણ પ્રકારના હોદ્દાનો લોભ રાખ્યા વિના સમાજના ભલા માટે લડવુ જોઈએ. તમારો ભાઈ ગુજરાત બહાર છે ત્યારે ભાઈનુ જરા માન રાખીને આગળ વધજો.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments