Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 Shaktipeeth: જય દુર્ગા વૈદ્યનાથ દેવઘર ઝારખંડ શક્તિપીઠ - 24

Webdunia
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (15:55 IST)
Jai durga Baidyanath Dham Deoghar- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
જયદુર્ગા વૈદ્યનાથ શક્તિપીઠઃ ઝારખંડના દેવઘરમાં સ્થિત વૈદ્યનાથ ધામ જ્યાં માતાનું હૃદય પડ્યું હતું, જેના કારણે આ સ્થાનને 'હરડપીઠ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની શક્તિ જયદુર્ગા છે અને શિવને વૈદ્યનાથ કહેવામાં આવે છે. ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ ધામ છે. ભારતમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં જ્યોતિર્લિંગની સાથે શક્તિપીઠ પણ છે. આ જ કારણ છે કે આ સ્થાનને 'હૃદય પીઠ' અથવા 'કડક પીઠ' પણ કહેવામાં આવે છે.
 
દેવઘરની શક્તિ સાધનામાં ભૈરવનું વર્ચસ્વ છે અને અહીં વૈદ્યનાથ પોતે ભૈરવ છે. તેમની પ્રતિષ્ઠાનો આધાર તાંત્રિક વિધિનું વર્ચસ્વ છે. તાંત્રિક ગ્રંથોમાં આ સ્થળની ચર્ચા કરવામાં આવી છે. દેવઘરમાં કાલી અને મહાકાલના મહત્વની ચર્ચા પદ્મપુરાણના પાતાલખંડમાં પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

51 Shaktipeeth: જય દુર્ગા વૈદ્યનાથ દેવઘર ઝારખંડ શક્તિપીઠ - 24

Chandraghanta temple - મા દુર્ગાના આ મંદિરમાં પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે

51 Shaktipeeth : ત્રિપુરમાલિની જાલંધર પંજાબ શક્તિપીઠ 23

World tourism day 2024 - દિવાળી વેકેશનમાં Trip પ્લાન કરી રહ્યા છો તો આ 5 સ્થાન વિશે જરૂર વિચારો

આગળનો લેખ
Show comments