Webdunia - Bharat's app for daily news and videos

Install App

Durga Ashtami- અષ્ટમીના રાત્રે કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી

Webdunia
રવિવાર, 6 ઑક્ટોબર 2019 (13:02 IST)
નવરાત્રીન બાકી દિવસોની તુલનામાં દુર્ગા અષ્ટમીનો દિવસ થોડો વધુ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ રૂપે દેવી મહાગૌરીની પૂજા થય છે. આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે.
1. અષ્ટમીની રાત્રે રાત્રે 12 વાગ્યા પછી ઘરના મુખ્ય બારણા પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેથી દુર્ભાગ્ય દૂર થાય છે. 
 
2. કોઈ દુર્ગા મંદિરમાં જઈને 8 કમળના ફૂલ  માતાને અર્પિત કરો. માતા પ્રસન્ન થાય છે. 
 
3. આ દિવસે કોઈ યોગ્ય પંડિત પાસેથી તમારા ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો. ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે. 
 
4. કોઈ કુંવારી બ્રાહ્મણ કન્યાને તેની પસંદના કપડા અપાવો અને સાથે જ કેટલીક ભેંટ પણ આપો. 
 
5. 9 કન્યાઓને તમારા ઘરે બોલીવીને ભોજન કરાવો. ભોજનમાં ખીર જરૂર બનાવો. બાલિકાઓને ભેંટ પણ આપો. 
 
6. 11 સુહાગન સ્ત્રીઓને લાલ બંગડીઓ અને સિંદૂર ભેંટ આપો. તેનાથી ઘન લાભ થવાના યોગ બને છે. 
 
7. માતાના મંદિરમાં ફળ જેવા કે કેળા, દાડમ, સફરજન વગેરેનો ભોગ લગાવો. પછી તે ગરીબોમાં વહેંચી દો. 
 
8. કોઈ દેવી મંદિરમાં માતાના શ્રૃંગારની સંપૂર્ણ સામગ્રી ભેંટ કરો. તેનાથી પરેશાનીઓ ઓછી થશે. 
 
9. પાણીવાળુ નારિયળ તમારા માથા પર થી 3, 5, 7 અથવા  11  ફેરવીને વહેતા જળમાં પ્રવાહિત કરવાથી મનપસંદ ઈચ્છાઓ પૂરી થશે. 
 
10. મહાગૌરીના સ્વરૂપને દૂધથી ભરેલી વાડકીમાં વિરાજીત કરી ચાંદીનો  સિક્કો ચઢાવો. પછી સિક્કાને ધોઈને હમેશા  તમારા ખિસ્સામાં મૂકો તેનાથી  ધન તમારી પાસે રોકાશે. 
 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments