Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉંગ્રેસમાં વરુણ ગાંધીનું સ્વાગત કરાશે?

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2023 (14:02 IST)
હિન્દુસ્તાન ટાઇમ્સ સમાચારપત્ર અનુસાર, શનિવારે એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કૉંગ્રેસમાં વરુણ ગાંધી માટે જગ્યા છે? આ અંગે વાયનાડના સાંસદે કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષને પૂછવું જોઈએ.
 
નરેન્દ્ર મોદી સરકારના અનેક નીતિવિષયક નિર્ણયોની ટીકા કરનારા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તાજેતરમાં "હિંદુ-મુસ્લિમ રાજનીતિ" વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વરુણ ગાંધીને એવું કહેતા સાંભળી શકાય છે કે તેઓ ન તો કૉંગ્રેસની વિરુદ્ધ છે કે ન તો પંડિત નેહરુની વિરુદ્ધ છે.
 
એ વીડિયોમાં પીલીભીતના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું,“આપણા દેશની રાજનીતિ દેશને એક કરવાની હોવી જોઈએ, ગૃહયુદ્ધ તરફ દોરી જતું રાજકારણ ન રમવું જોઈએ. આપણે લોકોને દબાવવાની નહીં પરંતુ લોકોના ઉત્થાનની રાજનીતિ કરવી જોઈએ”.
 
તેમણે ઉમેર્યું, “ટીવી અને અખબારો માત્ર હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ અને જાતિનું રાજકારણ કરે છે. ભાઈઓમાં ભાગલા પાડો અને ભાઈઓને મારી નાખો. અમે આ રાજકારણ થવા દઈશું નહીં.”
 
રાજકીય પંડિતો વરુણ ગાંધીની ટિપ્પણી અને તેમના મોટા પિતરાઈ ભાઈ રાહુલ ગાંધીના ભાષણ વચ્ચે સમાનતા તરફ ધ્યાન દોરે છે. વરુણ ગાંધીના નિવેદન ભાજપના આ નેતાની સૌથી જુની પાર્ટી કૉંગ્રેસમાં જવાની નવી અટકળોને વેગ આપે છે.
 
7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી 'ભારત જોડો' યાત્રાએ અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને હરિયાણાના ભાગોને આવરી લીધા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bahraich Violence- યુપીના બહરાઈચમાં હિંસા દરમિયાન 50થી વધુ ઘરોમાં તોડફોડ, આગમાં બે કરોડની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થશે

Inflation rate : તહેવારો પહેલા ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી, સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી 5.49 ટકા

મહારાષ્ટ્ર, ઝારખંડમાં ચૂંટણીની તારીખોનુ એલાન આજે, બપોરે 3.30 વાગે ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફ્રેંસ

બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માત, પાંચના મોત, 27થી વધુ ઘાયલ

આગળનો લેખ
Show comments