Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમિક્રૉનના ભયથી વિશ્વના કેટલાય દેશોમાં ફરીથી પ્રતિબંધો લગાવાયા, ગંભીર પરિણામોની WHOની ચેતવણી

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (08:14 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે કહ્યું છે કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનથી વિશ્વને ભારે ખતરો છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર WHOએ એ વાત પર ભાર આપ્યો છે કે આ વૅરિયન્ટના ફેલાવાની ક્ષમતા અને જોખમની ગંભીરતાને લઈ હજુ પણ અનિશ્ચિતતા છે.
 
WHOએ પોતાની એક નોંધમાં કહ્યું છે, "જો ઓમિક્રૉનને પગલે કોવિડ-19ના કેસોમાં એક મોટો ઉછાળો આવ્યો તો આનાં પરિણામો ગંભીર આવી શકે છે. જોકે, ઓમિક્રૉન વૅરિયન્ટથી હજુ કોઈનું મૃત્યુ નથી થયું."
 
આ પહેલાં WHOએ શુક્રવારે કોવિડ-19ના હાલમાં જ મળેલા 'બી.1.1.529' સ્ટ્રેનને ચિંતાવાળો વૅરિયન્ટ' (વૅરિયન્ટ ઑફ કન્સર્ન/VoC) જાહેર કરતાં આનું નામ ઑમિક્રૉન રાખ્યું હતું.
 
VOCની યાદીમાં સમાવેશ કરવાનો અર્થ એ છે કે હવે ઓમિક્રૉન પણ ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામા વૅરિયન્ટની જેમ કોરોનાનો સૌથી વધુ હેરાન કરનારા વૅરિયન્ટ છે. જોકે, વિશ્વમાં હજુ સુધી સૌથી વધુ વિનાશ ડેલ્ટા વૅરિયન્ટે વેર્યો છે.
 
આ વૅરિયન્ટ અંગે WHOને જાણકારી ગત 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળી હતી. આ ઉપરાંત બોત્સાવા, બેલ્જિયમ, હૉંગકૉંગ અને ઇઝરાયલમાં પણ આ વૅરિયન્ટની ઓળખ થઈ છે.
 
WHOએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું, "આ વૅરિયન્ટ ભારે ઝડપથી મ્યુટેન્ટ થઈ રહ્યો છે અને કેટલાક મ્યુટેશન ચિંતાનો વિષય છે "
 
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સંક્રમણના આઠ હજાર 774 નવા કેસ જોવા મળ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં માંડ સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, ત્યાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉને દેખા દીધી, જેણે ફરી ચિંતા વધારી દીધી છે.
 
ઇઝરાયલથી લઈને યુરોપિયન દેશો અને અમેરિકા, ઑસ્ટ્રેલિયામાં પણ નવા વૅરિયન્ટને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

આગળનો લેખ
Show comments