rashifal-2026

Uniform Civil Code - શું છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)? જાણો સંપૂર્ણ માહિતી

Webdunia
uniform civil code
Uniform Civil Code: આઝાદી પછી પહેલા જનસંઘ અને હવે ભાજપ પાસે ત્રણ મુખ્ય એજન્ડા રહ્યા છે. તેમાંથી પ્રથમ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાનો હતો. બીજું, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવવું અને ત્રીજું, સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી. પ્રથમ બે એજન્ડા પર કામ પૂર્ણ કર્યા બાદ હવે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. તેથી કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે કાયદા પંચ પાસેથી સૂચનો માંગ્યા હતા. આ પછી, 14 જૂને, દેશના 22મા કાયદા પંચે જાહેર અને ધાર્મિક સંગઠનોની સાથે વિવિધ પક્ષોને 30 દિવસની અંદર UCC પર પોતાનો અભિપ્રાય આપવા માટે કહ્યું છે. આવી સ્થિતિમાં આ મુદ્દો ફરી એકવાર દેશભરમાં ચર્ચામાં આવ્યો છે.
 
કેન્દ્ર સરકારે અગાઉ 21મા કાયદા પંચ પાસેથી UCC અંગે સૂચનો પણ માંગ્યા હતા. આના પર, કમિશને સમાજના તમામ વર્ગો પર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતની તપાસ કરી હતી. આ કાયદા પંચે 2018માં 'પારિવારિક કાયદામાં સુધારા' નામનું સૂચન પેપર પ્રકાશિત કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂર નથી. હવે 22મું કાયદા પંચ કહે છે કે આ સૂચન પેપર જારી થયાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેથી કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને આ બાબતના મહત્વ પર પુનઃવિચાર કરવો અત્યંત જરૂરી છે.
 
યૂનિફોર્મ સિવિલ કોડ કે યૂસીસી શુ છે ?
 
યૂનિફોર્મ સિવિલ કોડનો મતલબ છે કે દરેક ધર્મ, જાતિ, સંપ્રદાય વર્ગ માટે આખા દેશમાં એક જ નિયમ.  બીજા શબ્દોમાં કહીએ તો સમાન નાગરિક સંહિતાનો મતલબ છે કે આખા દેશ મા ટે એક સમાન કાયદા સાથે જ બધા ધાર્મિક સમુદાયો માટે વિવાહ, છુટાછેડા, વારસદાર, દત્તક લેવાનો એક જ નિયમ રહેશે. સંવિધાનના અનુચ્છેદ 44માં બધા નાગરિકો માટે સમાન કાયદો લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે. અનુચ્છેદ 44 સંવિધાન તે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં સામેલ છે. આ લેખનો હેતુ બંધારણની પ્રસ્તાવનામાં 'ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય'ના સિદ્ધાંતને અનુસરવાનો છે. ઉલ્લેખનીય  છે કે ભારતમાં તમામ નાગરિકો માટે એક સમાન 'ક્રિમિનલ કોડ' છે, પરંતુ સમાન નાગરિક કાયદો નથી.
 
પ્રથમ વખત UCC નો ઉલ્લેખ ક્યારે થયો હતો
1835માં બ્રિટિશ સરકારના એક રિપોર્ટમાં પણ સમાન નાગરિક કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુના, પુરાવા અને કોન્ટ્રાક્ટ જેવા મુદ્દાઓ પર સમાન કાયદો લાગુ કરવાની જરૂર હોવાનું જણાવાયું હતું. આ રિપોર્ટમાં હિંદુ-મુસ્લિમોના ધાર્મિક કાયદાઓ સાથે છેડછાડની કોઈ વાત કરવામાં આવી નથી. જો કે, 1941 માં, બીએન રાવ સમિતિની રચના હિંદુ કાયદાને સંહિતા બનાવવા માટે કરવામાં આવી હતી.  રાવ કમિટીની ભલામણ પર, હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખોના ઉત્તરાધિકારની બાબતોનું સમાધાન કરવા માટે 1956માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ બિલ અપનાવવામાં આવ્યું હતું. જો કે, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓ માટે અલગ કાયદા રાખવામાં આવ્યા હતા.
 
ડૉ. આંબેડકરે UCC પર શું કહ્યું
ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે સમગ્ર દેશમાં એક સમાન અને સંપૂર્ણ ક્રિમિનલ કોડ છે. તે પીનલ કોડ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરમાં સામેલ છે. અમારી પાસે પ્રોપર્ટી કાયદાનું ટ્રાન્સફર પણ છે, જે પ્રોપર્ટી અને તેની સાથે જોડાયેલી બાબતો સાથે સંબંધિત છે. તે સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ પડે છે. આ સિવાય નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે. તેમણે બંધારણ સભામાં કહ્યું કે હું આવા ઘણા કાયદાઓ ટાંકી શકું છું, જે સાબિત કરશે કે દેશમાં વ્યવહારિક રીતે સમાન નાગરિક સંહિતા છે. તેમના મૂળભૂત તત્વો સમાન છે અને સમગ્ર દેશમાં લાગુ પડે છે. ડૉ. આંબેડકરે જણાવ્યું હતું કે નાગરિક કાયદા લગ્ન અને ઉત્તરાધિકારના કાયદાને આગળ વધારવા સક્ષમ નથી.
 
હવે યુનિફોર્મ સિવિલ કોડની સ્થિતિ શું છે?
ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ-1872, સિવિલ પ્રોસિજર કોડ, ટ્રાન્સફર ઑફ પ્રોપર્ટી એક્ટ-1882, પાર્ટનરશિપ એક્ટ-1932, એવિડન્સ એક્ટ-1872 તમામ નાગરિકોને સમાન નિયમો લાગુ પડે છે. તે જ સમયે, ધાર્મિક બાબતોમાં દરેક માટે કાયદા અલગ છે. તેમની વચ્ચે ઘણો તફાવત છે. જો કે, ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં તેને લાગુ કરવું એટલું સરળ નથી. દેશનું બંધારણ દરેકને તેમના ધર્મ પ્રમાણે જીવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. બંધારણની કલમ-25 જણાવે છે કે કોઈ
 
ત્યાર સુધી દેશમાં કેમ લાગૂ ન થયો UCC ? 
 
ભારતનું સામાજિક માળખું વિવિધતાથી ભરેલું છે. પરિસ્થિતિ એવી છે કે એક જ ઘરના સભ્યો અલગ-અલગ રિવાજોનું પાલન કરે છે. વસ્તીના આધારે જોઈએ તો દેશમાં હિંદુ બહુમતીમાં છે. પરંતુ, વિવિધ રાજ્યોના હિંદુઓમાં ધાર્મિક માન્યતાઓ અને રિવાજોમાં ઘણો તફાવત હશે. એ જ રીતે, મુસ્લિમોમાં શિયા, સુન્ની, વહાવી, અહમદિયા સમાજમાં રીતરિવાજો અને નિયમો અલગ છે. ખ્રિસ્તીઓના પણ જુદા જુદા ધાર્મિક કાયદા છે. સાથે જ  એક સમુદાયના પુરુષો ઘણા લગ્ન કરી શકે છે. ક્યાંક પરિણીત સ્ત્રીને પિતાની મિલકતમાં હિસ્સો નથી મળી શકતો તો ક્યાંક દીકરીઓને પણ મિલકતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. સમાન નાગરિક સંહિતા અમલમાં આવતાની સાથે જ આ તમામ નિયમો સમાપ્ત થઈ જશે. જો કે, બંધારણમાં નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમના સ્થાનિક રિવાજોને માન્યતા અને રક્ષણ આપવાનું કહેવામાં આવ્યું છે.
 
Uniform Civil Code (UCC): કયા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ છે?
યુનિફોર્મ સિવિલ કોડ ઘણા દેશોમાં અનુસરવામાં આવે છે. આ દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત, અમેરિકા, આયર્લેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં તમામ ધર્મો માટે સમાન કાયદા છે અને કોઈ ચોક્કસ ધર્મ અથવા સમુદાય માટે કોઈ અલગ કાયદા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments