Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળમાં આકાશમાંથી કહેર બનીને તૂટી પડી વીજળી, 3 જીલ્લામાં 23 લોકોના મોત

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (22:57 IST)
પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં આકાશીય વીજળી પડવાથી ઓછામાં ઓછા 23 લોકોના મોત થઈ ગયા. આજે બપોરથી સાંજની વચ્ચે દક્ષિણ બંગાલમાં આંધીની સાથે વરસાદ પડ્યો અને સતત વીજળી ચમકી આવામાં જે લોકો ઘરમાંથી બહાર હતા, વીજળી પડવાથી તેમાથી અનેકના મોત થઈ ગયા. 
 
ફક્ત હુગલી જીલ્લામાં જ 10 લોકોના મોત થયા છે. જ્યારે કે મુર્શિદાબાદ જીલ્લામાં 9 લોકોના મોત થયા છે અને પશ્ચિમ મિદનાપુર જીલ્લામાં 2 લોકોના મોત થયા છે. હાવડા જીલ્લામાં પણ વીજળી પડવાથી બે લોકોના મોત થઈ ગયા છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મરનારાઓ પરિજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને મરનારાઓ પ્રત્યે સંવેદના બતાવી અને વળતર આપવાની જાહેરાત કરી.

<

PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives due to lightning in various parts of West Bengal. Rs. 50,000 would be given to the injured.

— PMO India (@PMOIndia) June 7, 2021 >
 
પશ્ચિમ બંગાળમાં આ ઋતુમાં અચાનક તેજ આંધી અને વરસાદ પડે છે જેને કાલબૈસાખી કહે છે. દર વર્ષની જેમ જ કાલ બૈસાખીના દરમિયાન વીજળી પડવાથી કે પછી કરંત લાગવાથી અનેક લોકોના મોત થઈ જઆય છે. હવામાન વિભાગના મુજબ કલકત્તા અને તેની આસપાસ ભયંકર વાવાઝોડામાં આવેલી આંધી લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલી અને તે લગભગ 2 મિનિટ રહી. 
 
પશ્ચિમ બંગાલમાં થયેલ આકાશીય કહેર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ દુર્ઘટનામાં ઘાયલ લોકોને જલ્દી ઠીક થવાની પ્રાર્થના પણ કરી છે. પીએમે પોતાના ટ્વીટ કહ્યુ છે. પશ્ચિમ બંગાલમાં આકાશીય વીજળી પડવાથી જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમની સાથે મારી સંવેદનાઓ છે. પ્રાર્થના છે કે જે લોકો ઘાયલ થયા છે તે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments