Dharma Sangrah

યૂપી- બારાબંકીમાં ભીષણ રોડ દુર્ઘટના - બસ અને ટ્રકની ટક્કરમાં 9ની મોત 27 ઈજાગ્રસ્ત

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (10:02 IST)
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથ પર દિલ્હીથી બહરાઈચ જતી બસ અને બીજી બાજુથી આવતી ટ્રક સામસામે અથડાવી. આ દુર્ઘટનામાં બસના 9 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તેમાંથી 5 ને ટ્રોમા સેન્ટર લખનઉમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
 
ગુરુવારની સવારે લગભગ સાડા પાંચ વાગ્યે, દિલ્હીથી બહરાઇચ જતી પ્રવાસી બસ દેવા કોટવાલી વિસ્તારમાં કિસાન પથ પર બાબુરી ગામ નજીક પહોંચી હતી. સામેથી આવી રહેલી એક ટ્રક અચાનક તેની સાથે બેકાબૂ રીતે અથડાઈ. ટક્કર દરમિયાન સ્પીડ એટલી વધારે હતી કે બસ અને ટ્રક ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને તહસીલ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બસ અને ટ્રકને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં રહેમાન (42) પુત્ર નિઝામુદ્દીન નિવાસી આલાપુર બારાબંકી સિવાય હજુ સુધી અન્ય કોઈ મુસાફરની ઓળખ થઈ શકી નથી. ઘટનાસ્થળે પહોંચેલા ડીએમે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોને બે લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments