Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ટની નોટિસ બાદ ઠાકરે સરકાર પર નવનીત રાણાનો હુમલો, કહ્યું- આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર

Webdunia
સોમવાર, 9 મે 2022 (18:07 IST)
ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરીને વિવાદમાં આવેલા સાંસદ નવનીત રાણા વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર ફરી એકવાર કોર્ટમાં પહોંચી છે. સરકારી વકીલે કોર્ટમાં માંગ કરી છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ નવનીત રાણા અને તેના પતિએ જામીનની શરતોનો ભંગ કર્યો છે. તેથી તેને ફરીથી જેલમાં મોકલવો જોઈએ. આના પર કોર્ટે રાણા દંપતીને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે શા માટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં ન આવે. આ દરમિયાન નવનીત રાણાની પ્રતિક્રિયા પણ આવી છે. દિલ્હી પહોંચેલા નવનીત રાણાએ કહ્યું કે અમે દિલ્હીથી પરત ફરીને કોર્ટની નોટિસનો જવાબ આપીશું.
 
આક્રમક રૂપમાં કહ્યુ આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર
આ સાથે તેણે પોતાનું આક્રમક વલણ ચાલુ રાખ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેણીએ કહ્યું કે જો મારે રામના નામ પર આખી જીંદગી જેલમાં વિતાવવી પડશે તો હું તેના માટે પણ તૈયાર છું. જામીનની શરતોનું ઉલ્લંઘન કરવાના આરોપો પર નવનીત રાણાએ કહ્યું, 'અમે જેલમાં ગેરવર્તણૂક વિશે મીડિયા સાથે વાત કરી છે. અમે જામીનની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કર્યું નથી. અમે અમારા પર લાગેલા આરોપો વિશે પણ વાત કરી નથી. કોર્ટ તરફથી ફરીથી નોટિસ મળવા પર નવનીત રાણાએ કહ્યું કે ભગવાનનું નામ લેવું ક્યારેય ખોટું ન હોઈ શકે. ભગવાન રામનું નામ લેવા બદલ જો કોઈ મને જીવનભર જેલમાં ધકેલી દે તો અમે તે પણ સહન કરવા તૈયાર છીએ.
 

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments