Dharma Sangrah

Sushil Kumar Modi Demise: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, 72 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
મંગળવાર, 14 મે 2024 (00:38 IST)
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ કેન્સરથી પીડિત હતા અને દિલ્હી AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટી વતી બિહારમાંથી રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2005 થી 2013 અને 2017 થી 2020 વચ્ચે બિહારના નાણાપ્રધાન પણ હતા.

<

"Former Bihar Deputy CM Sushil Kumar Modi passes away ", tweets Vijay Kumar Sinha, Bihar Dy CM pic.twitter.com/ylPyOVMgyC

— ANI (@ANI) May 13, 2024 >
 
બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સુશીલ મોદીના નિધનની જાણકારી આપી. તેમણે લખ્યું, “ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. સમગ્ર ભાજપ સંગઠન પરિવાર તેમજ મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમની સંસ્થાકીય કુશળતા, વહીવટી સમજ અને સામાજિક-રાજકીય વિષયોના તેમના ઊંડા જ્ઞાન માટે તેઓ હંમેશા યાદ રહેશે. દુ:ખની આ ઘડીમાં પરમાત્મા દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે..”
 
ગળાના કેન્સરથી પીડિત હતા 
સુશીલ કુમાર મોદી ગળાના કેન્સરથી પીડિત હતા અને તેમની દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી. તેને આ બીમારી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે ત્રણ મહિના પહેલા ગળામાં દુખાવાની તપાસ કરાવી. અમિત શાહ, જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓએ સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
 
જેપી આંદોલનથી શરૂ થયુ  કરિયર 
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની જેમ સુશીલ કુમાર મોદીની કારકિર્દી પણ જેપી આંદોલનથી શરૂ થઈ હતી. આ આંદોલનમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે 70ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બની ગયો હતો. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણ સાથે જોડાયેલા રહ્યા. 1971માં તેમણે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો. 1990માં પટના સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને જીત્યા. 2004માં તેઓ ભાગલપુરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીતીને લોકસભા પહોંચ્યા હતા. 2005માં તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું અને નાયબ મુખ્યમંત્રી બન્યા. જો કે, તેમણે નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે વિધાનસભાની ચૂંટણી લડી ન હતી, પરંતુ તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક ગ્લાસ હળદરનુ પાણી તમારુ આરોગ્ય બદલી શકે છે, જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી ડબલ ફાયદો થશે

અકબર-બીરબલ વાર્તા: રાજ્યના કાગડાઓની ગણતરી

કાચી કેરીનો બાફલો ગરમીમાં રાહત મળશે, રેસીપી નોંધો

કાળી ઈલાયચી ખાવાથી શું થાય છે ? આરોગ્ય માટે વરદાન, દૂર થઈ શકે છે ગેસ-બ્લોટિંગની તકલીફ

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

આગળનો લેખ
Show comments